પાલીતાણા આદપુર જૈન તીર્થ ખાતે છ ગાવ યાત્રા મેળા અન્વયે ભાવનગર એસ.ટી.વિભાગ દ્વારા ૪૦ જેટલી એક્સ્ટ્રા બસો દોડાવાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર 

     પાલીતાણા આદપુર જૈન તીર્થ ખાતે તા.૨૩.૩.૨૦૨૪ ને શનિવારના રોજ છ ગાવ યાત્રા (ઢેબરા તેરસ) મેળો યોજાનાર છે ત્યારે સમગ્ર ભાવનગર જિલ્લા સહિતના અનેક જિલ્લાઓમાંથી યાત્રાળુઓ છ ગાવ યાત્રા એ આવતા હોય છે ત્યારે તેઓને સરળતાથી અવર જવર કરી શકે તે માટે ભાવનગર ડિવિઝન એસ.ટી.વિભાગ દ્વારા વિશેષ ભાડા સાથે આશરે ૪૦ જેટલી એક્સ્ટ્રા બસો દોડાવાશે.

તા.૨૩ થી મેળો પૂર્ણ થાય ત્યા સુધીના સમયગાળા દરમ્યાન એસ.ટી.વિભાગ દ્વારા બસોનું સંચાલન કરાશે. જેનો તમામ યાત્રિકોએ આ વિશેષ સુવિધાઓનો લાભ લેવા ભાવનગર એસ. ટી. ડીવીઝન દ્વારા અનુરોધ કરાયો છે.

 

 

Related posts

Leave a Comment